
શ્રી રામ ધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી ની આગેવાનીમાં વાંકાનેર ખાતે 30 /1 /2022 ના રોજ મિટિંગનું આયોજન કરેલ .તેમાં ટંકારા રઘુવંશી યુવક મંડળે હાજરી આપેલ .જીતુભાઈ સોમાણી એ રામધામ માટે ચપ્પલ નો પહેરવાની પ્રતિજ્ઞા લીધી છે અને રામધામ માટેની જમીન પણ લઈ લીધી છે અને આગામી તારીખ 10 /11 /12 ત્રણ દિવસ શ્રીરામ મહાયજ્ઞનું આયોજન કરેલ છે આ તકે ટંકારા રઘુવંશી યુવક મંડળ ના પ્રમુખ અક્ષય કટારીયા, પ્રશાંત સેજપાલ ,નૈમિષ સેજપાલ, જય કક્કડ ,રાજન કટારીયા ,જયદિપ સેજપાલ અને અભય સેજપાલે જીતુભાઈ સોમાણી ને સાલ ઓઢાડીને સન્માનિત કરાયેલ
