• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આણંદમાં બિન વારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપવાનું સેવાકાર્ય સમીર પટેલ દ્વારા જાળવી રખાયું*

રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર

આણંદ જિલ્લામાં બિનવારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપવાનું સેવાકાર્ય છેલ્લા ઘણા વર્ષોથી આણંદની મહિલા સંસ્થા નવ ગુજરાત સ્ત્રી અધીકાર સંઘના અધ્યક્ષ અલ્પાબેન પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવી વિશિષ્ટ સેવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય ધાર્મિક સામાજિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું છે.

બિનવારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપવાનું કાર્ય માટે અવાર નવાર સમયાંતરે અલ્પાબેન પટેલ સાથે તેમના પતિ સમીરભાઈ પટેલ તેમજ સેવાકીય યુવાન વર્ગ અને પરિવારજનો મદદરૂપ થાય છે. સેવાકીય કાર્યને આવકારીને પ્રોત્સાહન આપતા રહેલ છે. તાજેતરમાં જ બિન વારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપવાનું સેવાકાર્ય અલ્પાબેન પટેલ રાજ્ય બહાર ગયેલ હોવાથી વિલંબિત થવાની સંભાવના હતી.પરંતુ અલ્પાબેન પટેલની ગેરહાજરીમાં પણ તેમના પતિ સમીરભાઈ પટેલ દ્વારા પરિસ્થિતિ સમજીને અગ્નિદાહ આપવાનુ સેવાકાર્ય જાળવી રાખવામાં આવ્યું હતું. સમીરભાઈ પટેલ દ્વારા શુક્રવારે બિનવારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપીને સેવાકીય પ્રવૃતિ યથાવત રાખવાનું યોગ્ય સમજી અલ્પાબેન પટેલની ઉપસ્થિતિ નહીં હોવા છતાં સ્મશાનમાં અગ્નિસંસ્કાર કાર્ય પુર્ણ કર્યું હતું.

 

Related posts

*HELLO MORBI:કચ્છ: અંજાર, ગાંધીધામ વિસ્તારમાં થયેલ મો.સા ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ચોરીના મો.સા. સાથે પકડી પાડતી કાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*માળીયા તાલુકાના ૧૨ થી ૧૪ વર્ષ ની બાળકો ને કોરોના વેકસીન આપવામાં આવશે.*

Hello Morbi

*HELLO MORBI:મહર્ષિ દયાનંદ સરસ્વતી ની 200મી જન્મ જયંતિ નિમિત્તે – જ્ઞાન જ્યોતિ પર્વ – આર્ય વીર દળ દિલ્હીની જ્ઞાન જ્યોતિ મશાલ મોટરસાઈકલ યાત્રા ટંકારા પહોંચી*

editor

Leave a Comment