• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આણંદમાં બિન વારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપવાનું સેવાકાર્ય સમીર પટેલ દ્વારા જાળવી રખાયું*

રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર

આણંદ જિલ્લામાં બિનવારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપવાનું સેવાકાર્ય છેલ્લા ઘણા વર્ષોથી આણંદની મહિલા સંસ્થા નવ ગુજરાત સ્ત્રી અધીકાર સંઘના અધ્યક્ષ અલ્પાબેન પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવી વિશિષ્ટ સેવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય ધાર્મિક સામાજિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું છે.

બિનવારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપવાનું કાર્ય માટે અવાર નવાર સમયાંતરે અલ્પાબેન પટેલ સાથે તેમના પતિ સમીરભાઈ પટેલ તેમજ સેવાકીય યુવાન વર્ગ અને પરિવારજનો મદદરૂપ થાય છે. સેવાકીય કાર્યને આવકારીને પ્રોત્સાહન આપતા રહેલ છે. તાજેતરમાં જ બિન વારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપવાનું સેવાકાર્ય અલ્પાબેન પટેલ રાજ્ય બહાર ગયેલ હોવાથી વિલંબિત થવાની સંભાવના હતી.પરંતુ અલ્પાબેન પટેલની ગેરહાજરીમાં પણ તેમના પતિ સમીરભાઈ પટેલ દ્વારા પરિસ્થિતિ સમજીને અગ્નિદાહ આપવાનુ સેવાકાર્ય જાળવી રાખવામાં આવ્યું હતું. સમીરભાઈ પટેલ દ્વારા શુક્રવારે બિનવારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપીને સેવાકીય પ્રવૃતિ યથાવત રાખવાનું યોગ્ય સમજી અલ્પાબેન પટેલની ઉપસ્થિતિ નહીં હોવા છતાં સ્મશાનમાં અગ્નિસંસ્કાર કાર્ય પુર્ણ કર્યું હતું.

 

Related posts

*દેશમાં 16 જાન્યુઆરી થી રસી કરણ અભિયાન શરૂ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રીસાંઈ વિધાસંકુલ જોડિયા ખાતે જિલ્લા કક્ષાની કુરાશ સ્પર્ધા યોજાઈ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા આગામી ૨૬ ડિસેમ્બરે યોજાશે*

editor

Leave a Comment