• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે પ.પૂ. સદ્ગુરુદેવ શ્રી હરીચરણદાસજી મહારાજ ના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાયા*

*બહોળી સંખ્યા મા ભક્તજનોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી*

 

સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેમનો પ્રથમ પ્રાગટ્યદીન તા.૭-૪ ગુરુવાર ના રોજ મોરબી જલારામ મંદિર ખાતે ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તેમજ મહાપ્રસાદ યોજી ગુરૂજી ના શિષ્યો દ્વારા ગુરૂજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમા બહોળી સંખ્યા મા ભક્તજનોએ ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તેમજ મહાપ્રસાદ નો લાભ લીધો હતો. આ તકે મોરબી રામધન આશ્રમ ના મહંત પૂ.ભાવેશ્વરી બેન સહીત ના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, પરેશભાઈ કાનાબાર, જીજ્ઞેશભાઈ પોપટ, સાગરભાઈ જોબનપુત્રા, નેહલભાઈ કોટક, જીતુભાઈ રાજવીર, ભરતભાઈ કાનાબાર, શ્રી જલારામ સેવા મંડળ તથા શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના અગ્રણીઓ સહીતના ગુરૂભક્તો એ જહેમત ઉઠાવી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી*

editor

*જીવનદર્શન મંગળવાર તારીખ 27-9-2022* *કથ્થક નૃત્યના માધ્યમથી નાસિક,મહારાષ્ટ્ર તેમજ સમગ્ર ભારતનું ગૌરવ વધારતાં નાસિકનાં દીપાબેન મોનાણી (બક્ષી)*

Hello Morbi

*HELLO MORBI:ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ના MBA Sem-1 ના રિઝલ્ટમાં નવયુગ કોલેજના વિદ્યાર્થીનીઓનું શ્રેષ્ઠ રીઝલ્ટ*

editor

Leave a Comment