*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*
બજારો સુંદર કમાનો થી શણગારાઈ
ભવ્ય શોભયાત્રાનું આયોજન
ટંકારા : ટંકારામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાનશ્રીરામ નોજન્મોત્સવની રામનવમી ના રોજ ધામધુમ પુર્વક ઉજવણી કરાશે
ટંકારા ગામસમસ્ત ગ્રામજનોની મીટીંગ વાઘેશ્વરી મંદિર ખાતે યોજાયેલ.તમામહિંદુ સમાજ ના લોકો તેમા ઉપસ્થીત રહેલ.
આગામી ચૈત્ર સુદ નોમ એટલે શ્રી રામચંદ્ર ભગવાનનો પ્રાગટ્ય દિવસ જેને અનુલક્ષીને સમસ્ત ટંકારા ગામ સમસ્ત તારીખ 10-04-2022 ને રવિવારે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજવાનુ આયોજન કર્યું છે
ટંકારા ની બજારો દેરીનાકારોડ, દયાનંદચોક, મેઈન બજાર, દેરાસર રોડ, લક્ષ્મી નારાયણ રોડ, લેઉવા વિગેરે લત્તાઓ , ટંકારા પ્રવેશ દ્વાર, ઓવર બ્રિજ, ને કેસરી ઘજા થી કમાનો થી રોશની થી શણગારેલ છે.
રામનવમી ના રોજ રવિવારે સવારે શોભાયાત્રા પંચમુખી હનુમાન મંદિરે થી શરુ થઈ દેરીનાકા મેઈન રોડ, દયાનંદ સરસ્વતી ચોક, મેઈન બજાર, દવાખાના રોડ, મઠવાળી શેરી, આર્ય સમાજ ત્રણહાટડી, ઉગમણા નાકા, ધેટીયા વાસ માં યોજાશે.
બપોરના 12 વાગ્યા ના સુમારે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે જન્મોત્સવ ઉજવાશે તથા મહા આરતી થશે લો વાસ અને ચિત્રકુટ ધામ ખાતે સૌ રામ ભક્તો માટે મહાપ્રસાદ ફળાહાર યોજાશે
સૌ ટંકારા તાલુકાના રહેવાસી શનિવારના સંધ્યાએ ધરે દિવડા પ્રગટાવી અને રવિવારે સવારે આસોપાલવ ના તોરણ બાંધી અચુક શોભાયાત્રા મા હાજરી આપશે