
તારીખ 2.5.2022 વાર સોમવાર ના રોજ સુલતાનપુર શાળા માં ધોરણ 8 ના બાળકો નો વિદાય સમારંભ ધામધૂમ થી ઉજવવા માં આવ્યો આ પ્રસંગ માં બાળકો, વાલીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે સૂચનો અને બાળકો ભણી ગણીને આગળ વધે અને સુલતાનપુર શાળા નું નામ રોશન કરે એવી આશાઓ રૂપી કિરણો નો પ્રકાશ પાથર્યો
ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ને તેમના સર્ટિફિકેટ સચવાઈ રહે તે બધા બાળકો ને ફાઈલ આપી સન્માનિત કરવામાં આવ્યા અને બાળકો સાથે વિતાવેલી ક્ષણો ને ઘડી વાર યાદ કરી પ્રસંગ ખૂબ જ સરસ રીતે પૂરો થયો હતો.આ પ્રસંગે શાળાના શિક્ષકો મનીષસાહેબ,શૈલેશસાહેબ,પ્રવીણ સાહેબ, પ્રવિણાબેન અને ચેતનસાહેબ અને smc ના અધ્યક્ષ બાબુભાઈ ઉપસ્થિત રહ્યા હતા
