મુળ વિરમગામ ના રહીશ અને હાલ અમદાવાદ જુહાપુરા વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગ માંથી આવતા પરિવારની દીકરી માહીને વર્ષ ૨૦૨૨ માં HSC બોર્ડ ની ,૧૨ સાયન્સ ની લેવાયેલ પરીક્ષા માં 96.48 P.R મેળવી ખેડુવોરા સમાજ સહિત મુસ્લિમ સમાજનુ ગૌરવ વધાર્યું છે ત્યારે દીકરીના પિતા શ્રી શબ્બીરભાઈ એ અખબારી યાદી ને જણાવ્યું હતું અથાગ મહેનત થકી દીકરીએ આ સિદ્ધિ હાંસલ કરી છે અને માહિને સફળતા નો શ્રેય અલ્લાહ તઆલા ને આપ્યો છે માહિને નો.૧૦ માં પણ ઝળહળતુ પરિણામ મેળવી ૯૯.૬૮ પર્સેન્ટાઇલ મેળવેલ હતા. આ સરસ પરિણામ થી માહિન ના વિરમગામ સ્થિત પરિવારજનો માં ખુશી નો માહોલ છવાયો છે અને વિરમગામ શહેરની મધ્યમવર્ગીય પરિવાર ની દીકરી ની સિદ્ધી ને લોકો એ બિરદાવી હતી અને દિવસભર ફોન મેસેજ સહિત સોશ્યલ મીડિયા પર શુભેચ્છાઓ નો વરસાદ થયો હતો. રિપોર્ટ:ફારૂક મદાર વિરમગામ
