મોરબી : મોરબીમાં હવેથી આયુષ હોસ્પિટલમાં કાયમ઼ી ધોરણે દરેક લોકોના મા અમૃતમ કાર્ડ તથા આયુષ્યમાન ભારત કાર્ડ નિકળી શકશે.
મોરબીમાં લોકોને મા અમૃતમ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં હાલાકી ભોગવવી પડતી હતી તથા તાલુકા પંચાયતમાં ચાલતી મા કાર્ડની કામગીરી બંધ થવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા પરંતુ હવે આયુષ હોસ્પિટલ ખાતે દરેક લોકોના મા કાર્ડ નિકળી જશે તથા જુના કાર્ડ પણ રીન્યુ કરી શકાશે. તો હવે લોકોએ મા કાર્ડ માટે ક્યાય હેરાન થવાની જરુર નથી. આયુષ હોસ્પિટલ ખાતેથી વ્યક્તિ દિઠ અલગ અલગ કાર્ડ વિનામુલ્યે નિકળી જશે.
