આજ રોજ તા. ૧૨/૦૫/૨૦૨૨ને ગુરુવાર મું, બોરસદ શ્રધ્ધા હોસ્પિટલ પરિસરમાં “વિશ્વ નર્સ ડે” ની ઉજવણીના ભાગ રુપે શ્રધ્ધા હોસ્પિટલ – બોરસદ તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી- તારાપુરના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્ત દાન શિબીરનુ આયોજન કરવામાં આવેલ જેમાં હોસ્પિટલના ડો. ઈકબાલ સાહેબ,ડો.દિપેશ સાહેબ , ક્રિશ્ના બેન, નિષિતભાઈ તથા બોરસદ ગામના યુવાન અને સેવાકાર્યમાં ઉત્સાહી તેવા મેહુલભાઈ તથા સોહીલભાઈ(મસાલા વાળા)એ સ્વૈચ્છિક રક્ત દાન કરી રક્ત દાતાઓને પ્રેરણા અને પ્રોત્સાહન પુરુ પાડી કુલ :- ૨૪ નંગ રક્ત બોટલ એકત્ર કરી જરુરિયાતમંદ દર્દીઓની સેવા અર્થે અર્પણ કરવામાં આવી, આજના આ ભગીરથ સેવાકાર્ય યજ્ઞમાં સેવા અર્થે રક્તદાન કરનાર દરેક રક્તદાતા શ્રી ઓનો શ્રદ્ધા હોસ્પિટલ રેસિડન્ટ ડોક્ટર પરેશ પટેલ તથા સેક્રેટરી શ્રી મિનેશભાઈ પટેલ અને હોસ્પિટલ મેનેજમેન્ટનો ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તારાપુર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
રિપોર્ટર -મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર
