
છેલ્લા ઘણા વર્ષોથી ડીસા ખાતે બિમાર ગૌમાતાઓ માટે ચાલતી ગૌશાળા કાંટ ખાતે બદલવાની હોઈ નવીન જગ્યા ઉપર સંતો,દાતાઓ,ગૌભકતો,પત્રકારો તેમજ કાર્યકર્તાઓની પાવન ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરાયું હતું.આ નિમિત્તે શ્રી રામચરિત માનસ મંડળ ડીસા દ્રારા વાજતેગાજતે દિવ્ય સુંદરકાંડનો પાઠ કરાયો હતો.
આ અવસરે ટેટોડા ગૌશાળાના પૂજ્ય રામરતનજી મહારાજે ખાસ હાજર રહી આશીર્વાદ આપ્યા હતા.શ્રી જલીયાણ ગૌશાળા ડીસા સાથે સંકળાયેલ સર્વ ભરતભાઈ ઠકકર, ઈશ્ર્વરભાઈ પ્રજાપતિ,મદનભાઈ સોની,પ્રવિણભાઈ શાહ, વિનોદભાઈ પટેલ,મહેશભાઈ ઉદેચા,મુકેશભાઈ આચાર્ય, તારાચંદભાઈ મજેઠીયા,આનંદભાઈ પી.ઠકકર, ભગવાનભાઈ બંધુ,આર.ડી.ઠકકર, મહેશભાઈ પોપટ, ભૂપેન્દ્રભાઈ જોષી,ભૂપતભાઈ આયા સહિત સૌએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.અંદાજે નેવુ હજાર ચોરસ ફૂટ જગ્યામાં બનનાર આ ગૌશાળામાં બિમાર ગાયોની પૂરતી સારવાર થાય તે માટે ગૌ હોસ્પિટલ પણ બનાવવામાં આવશે.
