રિપોર્ટર.શરદ એમ.રાવલ..
તા.જોડિયા. ગામ.હડિયાણા..

જોડિયા તાલુકાના હડિયાણા ગામે અને કુનડ ગામે સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયત જામનગર હસ્તકના જુના તૂટી ગયેલા ચેકડેમ અને તળાવના કામો રીપેરીંગ કરવાનું કામોનું ખાત મુહૂર્તનો કાર્યક્રમ રાઘવજીભાઈ પટેલ કુર્ષિ મંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું….
જેમાં હડિયાણા ગામે ચાર કામોનો અંદાજીત રકમ 35.96 લાખ અને કુનડ ગામે 3 કામોના અંદાજીત રકમ 25.39 લાખ ના કમોનો સમાવેશ થાય છે. આ કા મોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ જેના લીધે બને ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો સંગ્રહ થશે. અને ખેડૂતો ને લાભ મળશે.આ કાર્યક્રમ માં રાઘવજીભાઈ પટેલ કુર્ષિ મંત્રી ગુજરાત રાજ્ય સરકાર ગાંધીનગર..ધરમસિભાઈ ચનીયારા પ્રમુખ જિલ્લા પંચાયત જામનગર..વિનુભાઈ વાડોદરિયા ચેરમેન સિંચાઈ સમિતિ જિલ્લા પંચાયત જામનગર..ભરતભાઇ દલસાણીયા જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ..રસિકભાઈ ભંડેરી ડાયરેક્ટર ગુજરાત રાજ્ય કુર્ષિ બઝાર બોર્ડ ગાંધીનગર..જોસનાબેન ભીમાણી ચેરમેન ન્યાય સમિતિ તા.પ.જોડિયા..જ્યંતીભાઈ ભીમાણી..નરોત્તમભાઈ સોનગરા સભ્ય તા.પ.જોડિયા..મયૂરભાઈ નદાસણા સદસ્ય તા.પ.જોડિયા..ઠાકરસીભાઈ ભીમાણી..વશ્રમભાઈ નકુમ સરપંચ કુનડ..ભાવેશ કાનાણી.જયસુખ પરમાર.. તેમજ બને ગામના આગેવાનો અને કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા….

