મોરબી માળીયા વિસ્તારના ખેડૂતોના હામી, ખેડૂતો માટે છેક માર્કેટીંગ યાર્ડની જમીનથી શરૂ કરી, નવા ડેમ, તળાવો ઊંડા ઉતારવા, બોરી બંધ બનાવવા કે કેનાલ દ્વારા છેલ્લા ખેતર સુધી પાણી પહોંચાડવા સતત અવિરત કાર્યરત, આપણા સૌના લાડીલા *કાનાભાઈ* એટલે કે *કાંતિભાઈ અમૃતિયા* એ ખેડૂતોની વાવણી નિષ્ફળ ના જાય એ માટે સરકાર, સંગઠન અને અધિકારી સ્તર પર રજુઆત કરી, વર્ષોના અનુભવનો નિચોડ લઈને આપણા વિસ્તારની બ્રાન્ચ કેનાલોમાં પાણી લઈ આવવાના ભગીરથ પ્રયત્નો સફળ રહ્યા અને એમણે એવો આશાવાદ પણ પ્રગટ કર્યો કે વરસાદ પણ આવશે અને ખેડૂતોની વાવણી નિષ્ફળ નહીં જાય……
કેનાલોમાં પાણી છોડવા બદલ શ્રી કાંતિભાઈ અમૃતિયાએ ગુજરાત સરકારશ્રીનો, સંગઠનનો, આપણા સાંસદશ્રી અને પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડાનો, પૂર્વ મંત્રીશ્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જેન્તીભાઈ કવાડીયાનો અને આ અભિયાનમાં જેઓએ નાનો સરખો પણ પ્રયત્ન કર્યો હોય એ તમામ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી છે…
જય જવાન.. જય કિસાન.. જય વિજ્ઞાન…