*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
તારીખ 3/ 7/ 2022ના રોજ સવારે ૧૦થી બપોરના ૧ વાગ્યા સુધી જલારામ મંદિર બાપા સીતારામ હોસ્પિટલ સામે ગુંદરણ રોડ તાલાળા (ગીર) એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનંત હોસ્પિટલ તાલાળાના નામાંકિત ડોક્ટર એમ.એમ. ઝફફર હુસેન એમની સેવા આપશે. આ કેમ્પમાં ડાયાબિટીસ, ઝેરી દવાની અસર, સર્પદંશ, વીછી દંશ, ન્યુમોનિયા, અકસ્માત દ્વારા માનસિક અસર, શ્વાસ, બીપીને લગતી બીમારીઓ, ન્યુમોનિયા, કોરોનાને કારણે શરીરમાં થયેલા અસરો, વગેરે રોગોનો ઈલાજ કરવામાં આવશે. આ કેમ્પમાં સારવાર તેમજ દવા વિનામૂલ્યે આપવામાં આવશે તો આ મેડિકલ કેમ્પનો ખૂબ જ બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લે એવી ભાગ્યોદય કલ્યાણ કેન્દ્રના પ્રમુખ ભીમજીભાઈ ભજગોતર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
