શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં વનસ્પતિ નું મહત્વ સમજાવવા માટે એક પ્રોજેકટ કાર્ય નું આયોજન રજા ના દિવસે કરવામાં આવ્યું હતું આ પ્રોજેકટ નો મુખ્ય હેતુ એ પણ હતો કે પ્લાસ્ટિક ની નકામી વસ્તુઓ ને ગમે ત્યાં ફેંકવાને બદલે તેનો ફરી થી ઉપયોગ કરી ઘર આંગણે જ સુંદર રીતે સજાવી શકીએ છીએ કારણકે આપણે જાણીએ છીએ એમ પ્લાસ્ટિક ની વસ્તુઓ નો ક્યારેય નાશ થતો નથી બીજું એ કે આ પ્રોજેક્ટ નો મુખ્ય હેતુ એ પણ હતો કે વધતા જતા પ્રદૂષણ ને અટકાવવા નો શાળા થકી નાનકડો પ્રયાસ કરી શકાય જેથી બાળકો આવી નકામી વસ્તુઓ નો ઉપયોગ કરી વેસ્ટ માંથી બનાવી કઈક નવું શીખે અને તેમનામાં સર્જનાત્મક શક્તિ નો વિકાસ થાય
