રિપોર્ટર.. શરદ એમ.રાવલ.
ગામ.હડિયાણા.તા.જોડિયા
જી.જામનગર……………..


જોડિયા તાલુકા ની શ્રી નેસડા પ્રા.શાળા ને સ્વચ્છતા એવોર્ડ અર્પણ………………………
આજ રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની “”વદે ગુજરાત વિકાસયાત્રા””નો જામનગર જિલ્લા પચાયત પ્રમુખ ધરમસીભાઈ ચનીયારાના અધ્યક્ષ સ્થાને ગામ ધૂળસીયા આયોજીત કાર્યક્રમ થી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ના ઉદ્ઘાટન કાર્યક્રમ ધૂળસીયા ગામે જિલ્લા પ્રશાસન દ્વારા સ્વચ્છ વિધાલય પુરસ્કાર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા..જેમાં જોડિયા તાલુકા ની નેસડા પ્રા.શાળા ને પણ આપવામાં આવતા શાળા ના આચાર્યશ્રી ભાવેશભાઈ પનારા.. શિક્ષક રમેશભાઈ ધમસાનિયા.. ,સી.આર.સી.કો કનુભાઈ જાટીયા.. બી.આર.સી.જામી.. ઉપસ્થિત રહીને એવોર્ડ સ્વીકારેલ..જેમાં મહાનુભાવો જિલ્લા પંચાયત ના પ્રમુખ ધરમસીભાઈ ચનીયારા,જિલ્લા કલેક્ટર .. ,જિલ્લા વિકાસ અધિકારી ,જિલ્લા નાયબ વિકાસ અધિકારી. પ્રા.શી.અધિકારી.જિલ્લા ભાજપ પ્રમુખ ,મહામંત્રી પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા,અને ભાજપના પદાધિકારીઓ પણ સામુહિક ઉપસ્થિતિ માં સ્વીકારવામાં આવ્યો.આ એવોર્ડ મેળવવા બદલ નેસડા ગામ ના સરપંચ રાજેશભાઇ મકવાણા અને SMC ના અધ્યક્ષ પન્નાલાલ સોલંકી દ્વારા શાળા ના આચાર્ય તથા શિક્ષકો ને અભિનંદન પાઠવેલ…
