
શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ GCC દ્વારા તારીખ ૦૬-ઓગસ્ટના રોજ “આયુર્વેદની જાણકારી અને ફાયદા” ઉપર સુંદર અને માહિતીસભર કાર્યક્રમનું ઓનલાઈન આયોજન કરવામાં આવેલ જેનો દેશ અને વિદેશથી શ્રોતાએ લાભ લીધેલ. શ્રીમતી રશ્મિબેન વિઠલાણી – મહિલા અધ્યક્ષ અને ટ્રસ્ટી શ્રી લોહાણા મહાપરિષદ ખાસ હાજર રહી બધાનો ઉત્સાહ વધારેલ. Dr ધારા ખખ્ખરે વાત્ત, પિત્ત અને કફ ઉપર તેમજ આયુર્વેદથી શરીરનું ધ્યાન રાખવાની ખુબ સરળ ભાષામાં વિસ્તૃત માહિતી પીરસી જેનો બધાએ ખુબ વખાણ કરેલ. શ્રીમતી શિલ્પા ઠક્કર અને શ્રીમતી ચંદ્રિકાબેન રૂપારેલ હંમેશની જેમ ખુબ મહેનત અને ચીવટથી કાર્યક્રમનું સંકલન અને સંચાલન કરેલ.
