તા: ૨૫-૮-૨૦૨૨ સોમવાર 

જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનના સમર્થનમાં આજે મહિલાઓ દ્વારા ઉપવાસ છાવણી ખાતે રામધૂન રાખવામાં આવી હતી
જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલન સમર્થનમાં મહિલાઓ મેદાને
વાંકાનેર પાલિકાના વહીવટદાર સામે જીતુભાઈ સોમાણીના ઉપવાસ પર ઉતર્યાના પાંચમા દિવસે શહેર-તાલુકાના મહિલા મંડળ દ્વારા ઉપવાસ છાવણી ખાતે જીતુભાઈ સોમાણીના સમર્થનમાં રામધૂન રાખવામાં આવી હતી. જેમાં શહેર તથા તાલુકાની મહિલાઓ બહોળી સંખ્યામાં હાજર રહી જીતુભાઈ સોમાણીના આ તંત્ર સામેના ઉપવાસ આંદોલનમાં સમર્થન કર્યું હતું.
ઉપરાંત આજના ઉપવાસના પાંચમા દિવસે અલગ અલગ ધાર્મિક-સામજિક સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી

