
જૈન ધર્મ નો પયુષણ પર્વ ચાલી રહ્યો હતો ત્યારે જૈન દેરાસર સામે વરસાદી પાણી નો સંગ્રહ ખુબ જ વિશાળ પ્રમાણમાં થયો હતો જેના કારણે જૈન ધર્મ ના ભાઈઓ બહેનો ને ધર્મ સ્થાન પર જવું મુશ્કેલ થયું હતું તે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂ ના ઘ્યાને આવતા તાત્કાલિક આ બાબતે સોશ્યલ મીડિયા તેમજ સમાચારના માધ્યમ થી નગરપાલીકા ની સામે મોરચો માંડ્યો હતો જેથી નગરપાલીકા ના અઘિકારી અને પદાધિકારીઓ હરકત માં આવ્યા હતા તાત્કાલિક ૨૪ કલાક કરતાં પણ ઓછા સમય માં પાણી નો નિકાલ કરવા માં આવ્યો હતો… આ છે વિરોધ પક્ષ ની તાકાત …..આભાર તમામ પ્રેસ ના મિત્રો….આભાર વોર્ડ નંબર.૩ ના જાગૃત મતદાર ભાઈઓ બહેનો આવીજ રીતે દરેક રજુવાત અમારા સુધી પહોચાડો અમે આપને પૂરતો ન્યાય આપવાની કામગીરી જરૂર કરીશું.
દેવેન્દ્રસિંહ જાડેજા
પ્રમુખ, મોરબી જિલ્લા NSUI
કુલદીપસિંહ જાડેજા
મહામંત્રી,મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિ
ચિંતન રાજ્યગુરૂ
ઉપપ્રમુખ,મોરબી માળિયા વિધાનસભા યુવા કોંગ્રેસ સમિતિ
