રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા……………



હડિયાણા ગામે શ્રી જાગનાથ મહાદેવ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને આજ રોજ (૧૦)વર્ષ પૂર્ણ થયા છે.અને સ.2078ને આસો સુદ તેરસ તા.07.10.2022 ને શુક્રવાર ના રોજ ત્રાબા નો નાગ અને ધ્વજારોહણ નો ભવ્ય કાર્યક્રમ ગામના વતની અને શિવ ભક્ત
શ્રી ભગવાનજીભાઈ નાનજીભાઈ ગોધાણી દ્વારા પૂજનવીધી કરવામાં આવેલ છે……………
તા.07.10.2022 ના શુક્રવારે સવારે સમય.7.30 કલાકે શુભ મુહૂર્ત પૂજનવીધી શરૂઆત કરવામાં આવશે.અને ધ્વજા રોહનની સાથે નગદેવતા નું પણ વિધીવત પૂજન કરી ને નાગદેવતા મહાદેવ મંદિર ને અર્પણ કરવામાં આવશે. અને સાંજના સમયે 4 થી 7 દરમ્યાન સત્યનારાયણ ભગવાન ની કથા નું ભવ્ય આયોજન કરવામાં આવશે.અને બપોર ના સમયે સમૂહ મહાપ્રસાદ પટેલ સમાજ ની વાળી માં રાખવામાં આવેલ છે……………………..

