*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
આજ રોજ બી.આર.સી.ભવન- કોડીનાર ખાતે સાથી સી.આર. સી. મિત્રોને વિદાય તેમજ નવી નિમણુંક થતા સી.આર. સી. કો મિત્રોનો સત્કાર કાર્યક્રમ.. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિભાઈ વાળા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ તેમાં ઉપસ્થિત માનનીય ટી.પી.ઓ સાહેબ-કોડીનાર શ્રી અભુભાઈ ડોડીયા,કે.ની શિક્ષણશ્રી નવઘણભાઈ ચાવડા,આઈ ઇડી વિભાગ શ્રી બાબુભાઈ રાઠોડ,જિલ્લા શિક્ષક સંઘ મહામંત્રી મનુભાઈ વાળા,રણજીતભાઈ ગોહિલ,સુરસિંહભાઈ વૈૈશં,એસ.આઈ વિનુભાઈ બારડ,ભીમભાઇ વાંઝા,ભીખુભાઈ ગોહિલ,નારણભાઈ ઝાલા,રામસિંગભાઈ ડોડીયા વગેરે મહેમાનોની ઉપસ્થિતિમાં બી આર સી ભવન સમગ્ર શિક્ષા સ્ટાફ પરિવાર-કોડીનાર માં સૌ પ્રથમ વખત ત્રિવિધ કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં પ્રતિનિયુક્તિ,સ્વૈચ્છીક સેવાનિવૃત થતા crc-co મિત્રો,નવી નિમણુંક પામતા crc-co મિત્રો તેમજ જિલ્લા કક્ષા એ સરાહનીય કામગીરી કરતા બાબુભાઇ રાઠોડ વગેરે BRc સમગ્ર શિક્ષા સ્ટાફ મિત્રોનું વિદાય, સન્માન તેમજ સત્કારનો ત્રિવિધ કાર્યક્રમ BRC બહેન જયાબેન ગોહિલ ના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સ્વાગત વિધિ crc-co જીતુભાઇ દાહીમાં દ્વારા કરવામાં આવી હતી તેમજ આભાર વિધિ Brc co જયાબેન ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સફળ સંચાલન Brp.શ્રી માનસિંહભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે સાથે નવી નિમણુંક મેળવીને સી. આર. સી તરીકે જોડાતા નવા શિક્ષક મિત્રોને આવકારતા સમગ્ર BRC ભવન પરિવાર ખૂબ જ હર્ષ અને ગૌરવ સાથે શિક્ષણના ભગીરથ કાર્યમાં સેવારત સૌ મિત્રોને હૃદયપૂર્વક આવકારતા નિરોગી અને તંદુરસ્ત રહી પોતાના ક્ષેત્રમાં પૂરું યોગદાન અર્પણ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવે છે….
