રિપોર્ટર.. ફારૂક મદાર
વિરમગામ..769895095
વિરમગામ: ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરું તે જે તે ધર્મના ધર્મગુરુ ના ફરજ નો એક હિસ્સો છે ત્યારે તે તેની સમાજના બાળકો યુવાનો વૃદ્ધ વર્ગ ને પોતાના ધર્મ વિશે જ્ઞાન આપી સમાજના ધાર્મિક નીતિ નિયમો સાથે ખુદાની બંદગી અંગે માહિતગાર કરતા હોય છે એવું જ કંઈક નાનપણથી જ ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરી મુસ્લિમ સમાજ માટે ધાર્મિક જ્ઞાન આપતા
મૌલાના સૈયદ ગુલામમુસ્તફા યાસીન મીયા કુતબી બુખારી નો આછો પરિચય મોટો પ્રકાશ આપે છે જે મૂળ જામનગર જિલ્લાના જોડિયા ગામના વતની છે જેમણે નાનપણથીજ દીની માહોલમા એમનો ઉછેર થયેલ અને પઢવામાં ખુબજ હોશિયાર અને તેમને દીની પુસ્તક વાંચવામાં ઘણી રૂચી હતી તે જોઈને તેમના વાલિદ સૈયદ યાસીનમિયાં સાહબે તેમની દીની ધગસ જોઈને ઘણા પ્રભાવિત થયા અને સમય વેડફીયા વગર તેમને મદ્રેસામા મુકવાનો યોગ્ય નિર્ણય લઈને માત્ર દસ (10) વર્ષ ની ઉંમરે વાંકાનેર પાસેના પીપળીયારાજ ગામ નજીક દારૂલ ઉલૂમ ગૌસે સમદાનીમા એડમિશન લઈને સૈયદ ગુલામ મુસ્તફાને ત્યાં મુક્યા ત્યારબાદ ફક્ત તેર(13)વર્ષ ની ઉમર માંજ હાફિજ થયા અને ત્યારબાદ ભરૂચ પાસેના આમોદ ગામમાં ચાલતા મદ્રસાએ દારૂલ ઉલૂમ બરકાતે ખ્વાજામા પ્રવેશ મેળવીને ફક્ત સોળ 16વર્ષ ની ઉંમરે કારીની ડિગ્રી પ્રાપ્ત કરીનેમાત્ર અઢાર(18)વર્ષની ઉંમરે આલીમ બન્યા ત્યારબાદ તારીખ 15-10-2022 શનિવારના રોજ હજરત મુફક્કિરે ઇસ્લામ મુફ્તી ગુલામજીલાની અઝહરી સાહબ ના પવિત્ર હસ્તે ફાઝીલની ડિગ્રી પ્રાપ્તકરી અતિયારે તેઓ હાલ છેલ્લા એકવર્ષ થી મૌલાના સૈયદ ગુલામ મુસ્તફા અમદાવાદ જિલ્લા ના વિરમગામ શહેરમાં ગંગાસરતળાવ પાસે આવેલ પીર આઝમશા ઉર્ફ બારીની મસ્જીદમા પેશઈમામ (ઇમામત)ની સેવા આપી રહ્યા છે.અને સગા સબંધી અને તેમને ચાહવા વાળાઓ રૂબરૂ તેમજ ટેલિફોનિક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહા છે તેમજ તેમના વતન જોડિયા અને વિરમગામમા પણ ખુશી ની માહોલ જોવા મળીરહ્યો છે.
