
મોરબી : મોરબીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે તાજેતરમાં જ રીનોવેશન કરી ખુલ્લો મુકાયેલો વિખ્યાત ઝૂલતો પુલ સાંજના સમયે એકાએક તૂટી પડ્યો હતો જેના કારણે અનેક લોકો નીચે પટકાયા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
હાલ રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. આજે પણ ઝૂલતા પુલ ઉપર લોકોની સંખ્યા વધી ગઈ હોય પુલ તૂટી પડ્યો હતો. જેના કારણે લોકો નીચે પટકાયા હતા. હાલ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સાથે બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
