જય જલારામ સાથ જણાવવાનું કે આવતીકાલ તા.૧-૧૨-૨૦૨૨ ગુરુવાર ના રોજ ગુજરાત વિધાનસભા ચુંટણી ના પ્રથમ તબક્કા નું મતદાન યોજાનાર છે, જેમાં મોરબી-માળીયા ૬૫ વિધાનસભા બેઠક નો પણ સમાવેશ થયેલ છે. લોકતંત્ર ના આ પર્વ ને ઉજવવુ તેમજ યોગ્ય ઉમેદવાર તથા પક્ષ ને મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. નૈતિકતાથી વરાયેલ આપણો રઘુવંશી સમાજ તેમાં મોખરે છે. તો દરેક રઘુવંશી ભાઈઓ-બહેનો ને મોરબી લોહાણા સમાજ ની વિવિધ સંસ્થાઓ દ્વારા અવશ્ય મતદાન કરવા તેમજ કરાવવા નમ્ર અપીલ છે. આપણા વિસ્તાર માં રહેતા દરેક લોકો ને પણ મતદાન કરવા પ્રેરિત કરીએ તેવી અભ્યર્થના.
*૧૦૦% મતદાન કરીએ, લોકતંત્ર નુ પર્વ ઉજવીએ.*
લી.
શ્રી લોહાણા મહાજન-મોરબી
શ્રી લોહાણા મહાપરિષદ-મોરબી
શ્રી રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી
શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી
શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી
શ્રી રઘુવંશી મહિલા મંડળ-મોરબી
શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી
શ્રી જલારામ સેવા મંડળ-મોરબી
શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી
શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી
