
મોરબી ખાતે આગામી તારીખ ૬/૩/૨૦૨૩ અને સોમવારના બપોરે ૧.૩૦ થી ૫.૦૦ કલાકે પટેલ સમાજવાડી, શનાળા(મોરબી) ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી, તથા આયુર્વેદ પ્રચાર સંગઠન દ્વારા ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની “આયુર્વેદ કથા” નું આયોજન કરેલ છે.
મોરબીમાં પૈસાની રેલમછેલ છે, છતાં પૈસાથી દરેક વસ્તુ ખરીદી શકાતી નથી. આપણાં તથા આપણાં કુટુંબના આરોગ્ય માટે આપણે સજાગ થવાની ખાસ જરૂર છે. એ માટે આ કથાનો લાભ અવશ્ય લેશો. મોરબીના આંગણે આ સૌ પ્રથમ કથા છે.
મોરબી શહેર તથા આજુબાજુના ગામોની જનતા(ભાઇઓ તથા ખાસ તો બહેનો) આ જાહેર કાર્યક્રમનો વધુમાં વધું લાભ લઇ આરોગ્ય લક્ષી જાણકારી મેળવે તે માટે આહ્વાન કરવામાં આવે છે.
“જ્યારે આહાર જ ખોટો હોય ત્યારે
દવાની કોઈ અસર થતી નથી,
જ્યારે આહાર બરાબર હોય ત્યારે
દવાની કોઈ જરૂર નથી.”
દરેક ઘરનું સંચાલન બહેનોના હાથમાં હોય છે. આથી તેમના કુટુંબના સભ્યોની સુરક્ષા અર્થે વધુમાં વધુ બહેનો હાજરી આપે તેવી આશા રાખું છું. ખાસ તો આપણા રોજિંદા આહારમાં બહેનો મુખ્ય ભાગ ભજવે છે. રસોઈનું કામ તથા બાળ સંભાળ બહેનો જ કરે છે.
આ આયુર્વેદ કથામાં વધુમાં વધુ બહેનો આવે તો જ આપણો હેતુ બર આવશે. તો આવતી કાલે ૧.૩૦ વાગે આ કથામાં તમામ લોકોને સહકુટુંબ હાજર રહેવા ભારપૂર્વક જાહેર નિમંત્રણ પાઠવીએ છીએ.
– પ્રાણજીવન કાલરિયા, મોરબી

