
મોરબી તા ૨૩
મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત છેલ્લા ૧૧ વર્ષથી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદ વીર ભગતસિંહ, રાજ્યગુરુ, અને સુખદેવની અને તમામ શહીદ વીરોની યાદમાં ૨૩ માર્ચના રોજ કાર્યક્રમ યોજાતા આવે છે જેના ભાગરૂપે આવતીકાલે ૨૩ માર્ચ ને ગુરૂવાર ના રોજ માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહાનાટક કે જે સિનેમેટ્રિક જેવુ નાટક “વીર માંગડાવાળો અને પદ્માવતી” નું નાટક ભજવાશે
જેમાં પુરુષાર્થ એજ્યુકેશન સિસ્ટમ ભાણવડના ૭૦ વિદ્યાર્થીઓ કલાકાર તરીકે પોતાની કલા રજૂ કરશે અને તે સિવાયના બીજા 30 કલાકારો પણ પોતાની કલા રજૂ કરશે આમ કુલ ૧૦૦ કલાકારો મળી ને આ નાટક ભજવશે ખૂબ જ મોટા બેઈજ પર તૈયાર થયેલા આ નાટક રવાપર ઘુનડા રોડ પર જતો રસ્તો અને એસપી રોડ એમ બંને બાજુથી આવેલ રસ્તા પર સનસીટી ગ્રાઉન્ડમાં ભજવાશે જ્યાં ૧૦ થી ૧૫ હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે અને કોઈ પણ ટિકિટ કોઈપણ ચાર્જ વગર આ નાટક નિહાળવા મોરબીની જાહેર જનતાને આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
આ નાટકનો સમય ૨૩ માર્ચ ગુરૂવાર ને રાત્રે ૮:૩૦ કલાકે ભજવાશે

