માળિયા તા ૧૬ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ દ્રારા બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિને અનુલક્ષીને લોકોને મદદરુપ થવા તથા રોડ રસ્તા ઉપર વાહન વ્યવહાર યોગ્ય રીતૈ આવાગમન કરી શકે એ માટે જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશન તથા શાળાઓની અલગ અલગ ટીમો બનાવેલ.
જે અંતર્ગત માળીયા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતા એ વખતે માળીયા હાઈવે પર ચાલુ વરસાદ મા વાહન ની રાહે ઊભેલ પીતા – પુત્ર ને માળીયા પોલીસની રેસ્ક્યુ ટીમે સીટી – ૧ મોબાઈલમાં સહી સલામત તેમના ઘરે પહોંચાડી માનવતા નુ ઊદાહરણ પુરૂ પાડેલ.