
*સેવા-સુરક્ષા-શાંતિનાં ઘ્યેયને ચરિતાર્થ કરતી મોરબી જીલ્લા પોલીસ*
જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ દ્રારા બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિને અનુલક્ષીને લોકોને મદદરુપ થવા તથા રોડ રસ્તા ઉપર વાહન વ્યવહાર યોગ્ય રીતે આવાગમન કરી શકે એ માટે જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશન તથા શાખાઓની અલગ અલગ ટીમો બનાવેલ.
જે અંતર્ગત હળવદ પોલીસ સ્ટાફ
હળવદ મોરબી હાઈ વે પર પેટ્રોલીંગમાં હતા, એ વખતે શિરોઈ ગામ પાસે વૃક્ષ પડી જવાથી રોડ બંધ થઈ ગયેલ, જેથી હળવદ પોલીસ સ્ટાફ દ્વારા તરત જ કાર્યવાહી કરીને રસ્તો ક્લિયર કરેલ.

