
વાંકાનેર તાલુકા પો.સ્ટે. ના ભાયાતી જાંબુડીયા ગામ તથા ઢુવા ગામે પોલીસ અધીક્ષકશ્રીની અધ્યક્ષતામાં લોકદરબાર નું આયોજન કરતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ટીમ
પોલીસ મહાનીરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વારા રાજકોટ રેન્જના તમામ જીલ્લામાં લોકોની વચ્ચે જઇને પ્રજાના પ્રશ્નો સાંભળવા તથા જાણવા માટે લોકદબાર નું આયોજન કરવા સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની અધ્યક્ષતામાં વાંકાનેર તાલુકા પો.સ્ટે. વીસ્તારના ભાયાતી જાંબુડીયા ગામ તથા ઢુવા ગામ ખાતે ગ્રામજનોના પ્રશ્નો જાણવા તથા સાંભળવા માટે લોકદરબારનું આયોજન કરવમાં આવેલ જે લોકદરબારમાં પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર,વાંકાનેર શ્રી વી.પી.ગોલ સાહેબ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર,વાંકાનેર તાલુકા પો.સ્ટે. બી.પી.સોનારા સાહેબ તથા સ્થાનીક પોલીસ સ્ટાફ તથા ગામના તમામ જ્ઞાતીના આગેવાનો તથા સરપંચશ્રીઓ તથા પ્રજાજનો હાજર રહેલ અને લોકદરબારમાં તમામ ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેના ઝડપી અને ત્વરીત નીકાલ અંગેની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ લોકદરબારમાં હાજર રહેલ પ્રજાજનોને માર્ગ સલામતી તથા ઓનલાઇન ફ્રોડ તથા સાઇબર ક્રાઇમ અંગેનું જરૂરી માર્ગદર્શન આપી તેનાથી માહીતગાર કરવામાં આવેલ તેમજ તમામ પ્રજાજનોને ટ્રાફીક નીયમોનું પાલન કરવા તથા વ્યશનોથી દુર રહેવા માટેની અપીલ કરવામાં આવેલ આમ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા લોકદબારનું સફળ
આયોજન કરવામાં આવેલ છે.

