
થરા જલારામ મંદિરે કષ્ટભંજન દેવ હનુમાનદાદાના રથનું થયું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સ્વાગત
શતામૃત મહોત્સવ સાળંગપુર નિમિતે પૂજ્ય હનુમાનદાદાનો રથ બુધવારે થરા જલારામ મંદિરે આવતાં ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.ખૂબ મોટી સંખ્યામાં હિંદુ સનાતન સમાજના ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોએ દર્શનનો લાભ લીધો હતો.રથ સાથે પધારેલ સારથી પંડયાજી,ચંદુભાઈ,વીરેન્દ્રભાઈ,પાલનપુરના જયેશભાઈ ઠકકર,હસમુખભાઇ ઠકકર,વસંતભાઈ દવે સહિત સૌને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ દિવ્ય અવસરે થરાના અગ્રણી સેવકો અચરતલાલ ઠકકર,વિજયભાઈ ટેસ્ટી,કનુભાઈ આચાર્ય,નિરંજનભાઈ એ.ઠક્કર,રાજુભાઈ લાટી,નિરંજનભાઈ સોની,શાંતિભાઈ ઠકકર,દીપકભાઈ અખાણી,ચંપકભાઈ કોટક,લાલાભાઈ લાટી,સી.કે.અખાણી,દશરથભાઈ સરપંચ,વસંતભાઈ સરપંચ,ચીમનલાલ ઠકકર,હરિભાઈ સોની,મિતુલભાઈ ઠકકર,જયંતિભાઈ ગોતરકાવાળા,પરેશભાઈ ઠકકર,મનોજભાઈ બજરંગ,હરિભાઈ ખત્રી,હર્ષદભાઈ ઠક્કર,ૠત્વિક ગોકલાણી તેમજ જલારામ સત્સંગ મંડળ થરાની બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.સૌએ કષ્ટભંજન દેવ હનુમાન દાદાનાં દર્શન કરી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

