
*ખારાનાકા વારા વાછરડાડાની જાતર*
આજ રોજ ભાદરવા મહિનાના સોમવારે સલાયામાં ખારાનાકા વારા વાછરાડાડાની જાતરનું આયોજન કરાયું હતું. જેમાં સવારથી ભારે સંખ્યામાં ભક્તો આવેલ હતા.તેમજ વાછરાદાદા નાં દર્શન કરી નીવૈધ ધર્યા હતા. તેમજ પ્રાચીન રિવાજ મુજબ ઢોલ શરણાઈ સાથે દાદાની જાતર ઉજવાઈ હતી.સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવાએ પણ દાદાનાં દર્શન કરી અને પૂજારી શ્રી જુગામારાજ તથા ભુવા આતા શ્રી અનિલભાઈ અસ્વાર (ભીખામારાજ)નાં આશીર્વાદ લીધા હતા.

