
*મોરબીની જાંબુડીયા ગામે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી મહાશ્રમદાન અભિયાનમાં જોડાયા*
*માહિતી બ્યુરો, મોરબી*
રાષ્ટ્ર વ્યાપી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અનવ્યે આજે સમગ્ર દેશમાં મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના જાંબુડીયા ગામે સ્વચ્છતા હી સેવા- ૨૦૨૩ અન્વયે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘીની ઉપસ્થિતમાં મહાશ્રમ દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી સાફ સફાઈ કરી આ મહા અભિયાનમાં જોડાયા હતા.
આ પ્રસંગે સરપંશ્રી હંસાબેન રમેશભાઈ કણસાગરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીશ્રી નરસંગભાઇ છૈયા, વિપુલભાઈ પારીયા, જ્યોતિ રાઠોડ, જાગૃતિ ચાવડા, તલાટી કમ મંત્રીશ્રી સાગર વરસડા, ગ્રામ પંચાયત સભ્યશ્રી અનિલભાઈ, શાળાના આચાર્યશ્રી નયનભાઈ ભોજાણી તેમજ શિક્ષણ ગણ અને મોટી સંખ્યામા ગ્રામજનો વગેરે મહાશ્રમદાન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.



