
મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે તારીખ 3 ડિસેમ્બર ને રવિવારે સવારે 9-30 થી બપોરે 11-30 સુધી વિનામુલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના કોઈપણ જાતના દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.
મોર્નિંગ વોકીંગ ગૃપવાળા ઈશ્વરભાઈ મોટકા (પટેલ) દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે ઈશ્વરભાઈ મોટકાનો (પટેલ) મો.નં. 9687619729 પર સંપર્ક કરી શકાશે. વધુને વધુ મોરબીની જનતા આ વિનામુલ્યે સેવાનો લાભ લે તેવી અપીલ કરાઈ છે.
