
બાલંભા:તા ૨૬ બાલંભા ખાતે આવેલ સુપ્રિસધ શ્રી દાઢીયારી મેલડી માતાજી મંદિર ખાતે ભારતીય પ્રાચીન પરંપરા અને અર્વાચીન અસ્મિતામાં દેવોની આરાધના તેમજ ભક્તિ ભર્યા વાતાવરણમાં તન મન ધન અને આત્માને શાંતિ માટે એ અનોખું માધ્યમ છે શ્રી દાઢીયાળી મેલડી માતાજી મંદિરે શ્રી શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ નું આયોજન સવંત 2080 ના મહાવદ 3 મંગળવાર તારીખ 27.2.24 થી 29.2.24. સુધી ત્રિ દિવસીય રાખેલ છે જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના આચાર્ય પ દે મોરબીના વિદ્વાન શાસ્ત્રી આશિષભાઈ મહેતા રહેશે તો દિવ્ય અને ભવ્યતાથી ભવ્ય શિવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દર્શનનો લાભ લેવા અને મહાપ્રસાદ નો લાભ લેવા અવશ્ય પધારશો જી. ઉપરોક્ત કાર્યક્રમમાં તારીખ 28.2.24. ને બુધવારે રાત્રે9.30 કલાકે ભવ્ય સંતવાણી નું પણ આયોજન કરેલ છે જેમાં ભજન સમ્રાટ વિજયભાઈ ગઢવી તેમજ મહેશભાઈ ગઢવી ( ભુરા ભગત ) લોકસાહિત્યકાર મુકેશભાઈ બારોટ. નારણ ભારતી બાપુ રાત ભર ભજનોની રમઝટ બોલાવશે યજ્ઞના મુખ્ય યજમાન શાંતિલાલ ભવાનભાઈ વેગડ રહેશે તો આ પાવન પ્રસંગે દાઢીયારી મેલડી માતાજી મંદિરના મહંત શ્રી ભોલે મુની બાપુ ( ગુરુ શ્રી લહેર મુની બાપુ ) નું ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે(*લલીત નિમાવત દ્વારા*)


