
વનરક્ષક-વનપાલ સંવર્ગના કર્મચારીઓ બઢતી-રજા પગાર સહિતના મુદે આક્રમક
માંગણીઓ નહિ સંતોષાય તો આંદોલનની ચીમકી મુખ્યમંત્રીને આવેદન પાઠવી માંગ સંતોષવા અપીલ
વનરક્ષક-વનપાલ સંવર્ગના કર્મચારીઓને બઢતી રેશિયો, રજા પગાર, બઢતી અને બદલી બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં સંતોષકારક ન્યાય નહિ મળતા મહા મંડળ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે સમયાન્તરે આંદોલનરૂપી કાર્યક્રમો આપવાની ચીમકી આપવામાં આવી છે
ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રીને લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે વનરક્ષક-વનપાલ સંવર્ગને લાગુ પડતા મુખ્ય પ્રશ્નો અંગે અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી જે કર્મચારીઓ પોતાના વતન અને પરિવારથી દુર રહીને દરેક ઋતુમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં દિવસ-રાત પોતાની ફરજ નિભાવે છે પરંતુ તેમના પ્રશ્નોને ધ્યાને લેવામાં આવતા નથી
મુખ્ય બાકી રહેલ ૮ માંગણીઓ નીચે મુજબ છે
વનપાલ સંવર્ગના રેશિયોમાં ફેરફાર કરવામાં આવે
રેંજ ફોરેસ્ટ ઓફિસર સંવર્ગનો ભરતી અને બઢતીનો રેશિયો 1 : ૫ કરવામાં આવે
વનરક્ષક/વનપાલ સંવર્ગના કર્મચારીઓને બેઝીક પગાર મુજબ રજા પગાર આપવામાં આવે
વનરક્ષક/વનપાલ સંવર્ગના કર્મચારીઓને સમગ્ર વર્ષ દરમિયાન મળવાપત્ર તમામ જાહેર રજાના દિવસોનો રજા પગાર આપવામાં આવે
વનરક્ષક/વનપાલ સંવર્ગના તમામ લાયકાત ધરાવતા કર્મચારીઓને સમયસર બઢતી આપવામાં આવે
કેન્સર જેવી ગંભીર બીમારી/પતિ-પત્નીના કેસમાં તેમજ તા. ૨૧-૦૨-૨૦૨૩ ના રોજ વનરક્ષકથી વનપાલને બઢતી આપતા વનપાલોને અન્ય સર્કલમાં નિમણુક આપી અન્યાય કરવામાં આવે છે તે બાબતની માંગ કરવામાં આવી છે
જે માંગણીઓ અંગે અવારનવાર રજૂઆત છતાં નિકાલ આવ્યો નથી જેથી માંગણીઓ બાબતે જરૂરથી યોગ્ય નિરાકરણ લાવવા મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે
