
શ્રી દરીયાલાલ મંદિર ધ્રાંગધ્રા ખાતે ફાગણ સુદ બીજ મહોત્સવ
શ્રી ભાણ તીર્થ ટ્રસ્ટ કમીજલા સંચાલિત શ્રી દરીયાલાલ મંદિર સેવા સમિતિ ધ્રાંગધ્રા આયોજિત ફાગણ સુદ બીજ મહોત્સવ શ્રી ઘનશ્યામભાઈ ચંદુલાલ પુજારા પરિવાર યજમાન પદે ધામધૂમથી ઉજવવામાં આવેલ સમિતિ પ્રમુખશ્રી પ્રકાશભાઈ રાજવિરે યજમાન પરિવાર, દાતા પરિવાર તથા હાજર ભક્તજનોને ભાવ પૂર્વક આવકારેલ શ્રી દરીયાલાલ મંદિર – ભાડુકા ( જાય ) ના ટ્રસ્ટીશ્રી અશોકભાઈ પુજારા – સુરેન્દ્રનગર શ્રી પુજારા પરિવારના કુળદેવી શ્રી અંબે માતાના પરમ ભક્ત શ્રી દિલીપભાઈ પુજારા – રાજકોટ શ્રી જલારામ સેવા ટ્રસ્ટના શ્રી નિતાબેન કૃપાકુમાર પોપટ( લંડન )તથા અખંડ જ્યોત દાતા શ્રી વિનોદભાઈ પુજારા, સ્થાપિત દેવોના વાઘા યજમાન શ્રી પ્રવીણભાઈ પુજારા દરેક યજમાનોનુ દાદાની પ્રતિ ક્રુતિ તથા ખેસ પહેરાવી પ્રમુખશ્રી પ્રકાશભાઈ રાજવિર શ્રી મહેશભાઈ પુજારા,અતુલ દક્ષિણી, કનકબેન પી. રાજવિર, શ્રીમતી છાયા જે. કોટક, ભારતીબેન એન. પુજારા, માયાબેન જે. સચદેવ , કિરણબેન એચ. પુજારા દ્વારા સન્માનિત કરવામાં આવેલ. સમગ્ર બીજ મહોત્સવનુ આયોજન મંત્રીશ્રી જીતુભાઈ કોટક શ્રી મહેશભાઈ પુજારા, શ્રી અતુલ દક્ષિણી, શ્રી અમિત હાલાણી દ્વારા કરવામાં આવેલ તમામ યજમાન, દાતા પરિવાર તથા ભક્તજનોનો મંત્રીશ્રી જીતુભાઈ કોટક દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ.





