
(લલીત નિમાવત દ્વારા*)જોડીયા તા ૧ આજરોજ શ્રી જોડીયા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પારષોત્તમભાઈ રૂપાલાએ કરેલી રાજપૂત સમાજ વિષે હીન કક્ષાની ટિપ્પણીના વિરોધમાં જોડીયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.અને સાથે પારષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે એવી સરકારશ્રીમાં માગણી કરવામાં આવી.જેમા જોડીયા તાલુકાના પંદર ગામોમાંથી બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જો પારષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ન ખેંચાય તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરોધ મતદાન કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી.
