
મોરબી તા ૫ : આગામી તારીખ ૧૦ ને બુધવાર ના રોજ મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ૪૩માં દરિયાલાલ પ્રભુ પ્રાગટય દિવસની ભવ્ય થી દિવ્ય ઉજવણી નું જાજરમાન આયોજન કરાયું છે જેમાં આરતી, રામાયણ પ્રવચન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને સમસ્ત લોહાણા સમાજ ના ભાઈબહેનો ને સમયસર પ્રસાદ ગ્રહણ કરવા તેમજ બધા કાર્યક્રમો માં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવાયું છે સ્થળ: દશાશ્રીમાળી જ્ઞાતિની ભોજનશાળા સાવસર પ્લોટ વાળી શેરીમાં

