• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સાળંગપુરધામ ખાતે ભવ્ય થી દિવ્ય રીતે હનુમાનજયંતિની ઉજવણી કરાશે*

*(લલીત નિમાવત દ્વારા)* સાળંગપુર તા ૨૦ બોટાદ જિલ્લાના જગ વિખ્યાત સાળગપુરધામમાં આવેલ વડતાલ તાબાનું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ પૂજ્ય શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજીની શુભ પ્રેરણાથી અને કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ તૅમજ પૂજારી સ્વામીશ્રી ડી, કે, સ્વામીજીની અડાગ મહેનતથી સાળગપુરધામના આગણે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના પાવન સાનિધ્યમાં ત્રણ દિવસ શ્રી હનુમાન જ્યંતી નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ દિવ્ય પાવન પ્રસંગે તા, ૨૧ એપ્રિલને રવિવારના રોજ સાંજે ૪ : ૦૦ કલાકે સંતો અને હરીભક્તો દ્વારા ભવ્યતાથી ભવ્ય શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું ( ૫૫૫ કિલો પુષ્પ ) દ્વારા ભવ્ય રાજોપોચાર પૂજન કરવામાં આવશે,,,તૅમજ તા, ૨૨ એપ્રિલને સોમવારના રોજ સવારે ૧૧ : ૦૦ ક્લાકે દાદાને દિવ્ય ભવ્ય કેરીનો અન્નકોટ ધરાવાશે સાંજે ૪ : ૦૦ ક્લાકે ( ૫૦૦૦ કિલો પુષ્પ દ્વારા ) કિંગ ઓફ સાળગપુરનો એંતાસિક અભિષેક મહાપુષ્પાભીષેક કરવામાં આવશે સાંજે ૭ : ૦૦ ક્લાકે અમેરિકન ગોટ ટેલેન્ટ વિજેતા ગ્રુપ દ્વારા અદભુત ડાન્સ પ્રફોમન્સ થશે સાંજે ૭ : ૩૦ ક્લાકે ” ભવ્ય આતશબાજી ” થી દાદાને વધાવવામાં આવશે તૅમજ સાંજે ૭ : ૩૦ ક્લાકે અનેક પ્રકારના અગનીથી દાદાનું પૂજન એવં મહાઆરતી થશે અગની પૂજા મહાઆરતી કરવામાં આવશે આ ઉપરાંત રાત્રે ૯ : ૦૦ ક્લાકે ભવ્ય ભકિતગીત સંતવાણી લોકડાયરો રાખેલ છે જેમાં સુપ્રસિદ્ધ કલાકાર શ્રી કીર્તિ સાગઠીયા તથા તેમની ટીમ અનેરા સંગીત સાથે રંગત જમવાશે આ ઉપરાંત તારીખ : ૨૩ / ૪ / ૨૦૨૪ ને મંગળવાર ને હનુમાન જ્યંતીના પાવન પુણ્યશાળી દિવ્ય અવસરે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની મંગળાઆરતી સવારે ૫ : ૦૦ ક્લાકે થશે તૅમજ સવારે ૭ : ૦૦ શણગાર આરતી કરવામાં આવશે તૅમજ સવારે ૭ : ૦૦ ” મારૂતિયજ્ઞ ” નો મંગલ પ્રારંભ સંતો દ્વારા બ્રાભણો દ્વારા મંત્રોચારથી કરવામાં આવશે તૅમજ સવારે ૭ : ૦૦ બર્થડે સેલીબ્રેશન કરવામાં આવશે સવારે ૧૦ : ૦૦ મહા અન્નક્ષેત્ર શ્રી હનુમાન જ્યંતીના પાવન પર્વે દાદા ના નીજ મંદિરમાં વિધ વિધ ફૂલોનાં શણગાર દર્શન કરવામાં આવશે તૅમજ સમગ્ર મંદિરને લાઈટ ડેકરોશન રોશનીથી શૂભોષીત કરવામાં આવશે પ્રતિ વર્ષ માત્ર ગુજરાત જ નહીં દેસ વિદેશથી ભાવિકો હનુમાન જ્યંતીના પાવન પર્વ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શનાથેં આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે હનુમાન જ્યંતી પર્વે દાદાના દરબારમાં લાખો ભાવિકો પધારે છે શ્રી હનુમાન જ્યંતીના પાવન રૂડા અવસરે સર્વે ભાવિકોને પધારવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી, તથા પૂજારી સ્વામીશ્રી ડી, કે, સ્વામી દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે,,,

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે રવિવારે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે.*

editor

* *મોરબી પંચાસર રોડ પર બિલ્ડીંગમાં પાણી છાંટતી વેળાએ પાંચમા માળેથી પટકાયેલ શ્રમિકનું મોત*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.ચંપાબેન ત્રિભોવનદાસ કક્કડ (હ.મનોજભાઈ કક્કડ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૫૦ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment