
જલીયાણ ગૌશાળા ડીસા/કાંટ ખાતે જલારામ સત્સંગ હોલનું કરવામાં આવેલ ખાતમૂહુર્ત-ભૂમિપૂજન
જલીયાણ ગૌસેવા ટ્રસ્ટ ડીસા સંચાલિત જલીયાણ ગૌશાળા કાંટ ખાતે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સૌજન્યથી બનનાર જલારામ સત્સંગ હોવનું ખાતમૂહુર્ત-ભૂમિપૂજન સમર્પિત ગૌભકતોની વિશેષ હાજરીમાં કરવામાં આવ્યું હતું.સંસ્થાના ટ્રસ્ટીઓ સર્વ મુકેશભાઈ જી.આચાર્ય,ભરતભાઈ ઠકકર,ઈશ્ર્વરભાઈ પ્રજાપતિ,મહેશભાઈ જીવરાજભાઈ,વિનોદભાઈ પટેલ સહિત સૌએ ગૌસેવકોને મીઠો આવકાર આપ્યો હતો.
શારદાબેન આચાર્ય,ચારૂબેન બંધુ,જ્યોતિબેન આર.ઠકકર,,પૂજાબેન કે.ઠકકર,ગીતાબેન આચાર્ય,સરોજબેન રતાણી,બીનાબેન એ.ઠકકર,શિલ્પાબેન ઠકકર,જયાબેન ગોકલાણી,વિજયાબેન પૂજારા,મીનાબેન મજેઠીયા,સોનલબેન ઠકકર,આશાબેન ઠકકર,જયશ્રીબેન રાચ્છ,જાગૃતિબેન રાલ સહિતની બહેનોએ ભૂમિપૂજન કર્યું હતું.
આ દિવ્ય અવસરે ભગવાનભાઈ બંધુ,જયંતિભાઈ ઓઢાવાળા,ભરતભાઈ ઠકકર,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય વિગેરેએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.12-8-2024 પહેલાં જલારામ સત્સંગ હોલનું ઉદ્ઘાટન કરવાનો નિર્ધાર મુકેશભાઈ આચાર્યે વ્યક્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમની સફળતા માટે આનંદભાઈ પી.ઠકકર,આર.ડી.ઠકકર,અમરતમામા,કલ્પેશભાઈ ,ઈશ્ર્વરભાઈ રાવળ,કમલેશભાઈ રાચ્છ,નિલેષભાઈ રાવલ,વિનોદભાઈ ગોકલાણી વિગેરેએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.
