
અધ્યયન મંડળ મોરબી દ્વારા અષાઢ સુદ ૩, દિનાંક ૧૫/૦૮/૨૬ને સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ શનિવારે રાત્રે ૯ વાગ્યે ૫૮ મી માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા નિલકંઠ વિદ્યાલય , રવાપર રોડ,આઈ.એમ.એ. હોલની સામે, બાપા સીતારામ ચોકની બાજુમાં સ્થાને યોજાશે. આ કાર્યશાળામાં મોરબીના હાલ ગાંધીનગર સ્થિત લેખક, વક્તા,રાજ્ય કક્ષાના શિક્ષક તાલીમ તજજ્ઞ એવા પરેશભાઈ દલસાણિયા જેઓ નાગરિક કર્તવ્ય વિષય પર વક્તવ્ય આપશે તો આ કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહો તેવી નમ્ર અભિલાસા.આ કાર્યશાળામાં પ્રેક્ષકો દ્વારા ચર્ચા પણ કરવામાં આવશે.આ કાર્યશાળા છેલ્લા સાડા ચાર વર્ષથી સાતત્યપૂર્ણ ચાલે છે, રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચા પણ કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન(કાર્યશાળા)માં જોડાવવા નમ્ર અપિલ કરવામાં આવે છે.
અધ્યયન મંડળ મોરબી
સંયોજક -ડો જયેશ પનારા
સહસંયોજક
વિજયભાઈ રાવલ કમલેશભાઈ અંબાસણા
ભાવેશભાઈ હડિયલ
