
જોડિયા તાલુકાના બાદનપર ( જો) ના સીમ વિસ્તારમાં સ્વયંભૂ શ્રી કનકેશ્વર મહાદેવ વિરાજમાન _!
*લલિત નિમાવત દ્વારા*) જોડિયા :- ૧૩ ઓગષ્ટ થી ગુજરાત માં પવિત્ર શ્રાવણ માસ નો શુભારંભ થય રહ્યો છે, શ્રાવણ માસ દેવોનો દેવ મહાદેવ માટે અતિ પ્રિય છે,શિવ ભક્તો દ્વારા શિવાલયોમાં વિરાજતા મહાદેવ જી નું જળાભિષેક, રુદ્રાભિષેક, દ્વારા રિઝાવા અને આશિર્વાદ, મનોકામના માટે શુભ અને ઉત્તમ દિવસ માનવામાં આવે છે, જોડિયા તાલુકાના એક માત્ર બાદનપર (જોડિયા) ના સીમ વિસ્તારમાં પ્રાચીન સમયથી થી પ્રાકૃતિક વાતાવરણ માં શ્રી કનકેશ્વર મહાદેવ જી સ્વયંભૂ તરીકે વિરાજી રહ્યા છે, મહાદેવ જી ની ઉત્પત્તિ વિષય લોકવાયકા પ્રમાણે ગામના એક ખેડૂત નું ખેત જમીન બાદનપર ના સીમ વિસ્તારમાં હતી એક દિવસ પોતાના ખેતરમાં (સાતી) હળ દ્વારા ખેતી કાર્ય માં વ્યસ્ત હતાં ખેતર ના એક સ્થાને સાતી અટકી પડેલ ગમે તેવા પ્રયાસો પછી પણ સાતી આગળ વધ્યું જ નહીં, તપાસ કરતાં સાતી નો મુખ્ય ભાગ એક કાળા પાળો સાથે અડેલો હતો.આજ ની તારીખ માં તે કાળો પાળો જે શિવલિંગ તરીકે પાળો ના ઉપર ભાગ માં સાતી દ્વારા નિશાન જોવા મળે છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બ્રહ્મમુહૂર્તમાં શિવભક્તો દ્વારા જળાભિષેક રુદ્રાભિષેક દ્વારા શિવજી મહારાજ ને આસ્થા, શ્રદ્ધા સાથે પ્રસન્ન કરવા માટે લાંબી લાઈન માં પ્રતીક્ષા કરવી પડે છે, જોડિયા, બાદનપર.કુનડ, આસપાસ ના ગામડાઓ તથા મોરબી, રાજકોટ, જામનગર, જોવા શહેરો થી શિવભક્તો શ્રી કનકેશ્વર મહાદેવ જી ના દર્શન માટે ઉમટી પડે છે.શ્રાવણમાસ ના પ્રથમ દિવસે જોડિયા ના શ્રી કનકેશ્વર મહાદેવ ગ્રુપ ના યુવાનો શિવભક્તો દ્વારા જોડિયા ના રામવાડી ખાતે પુજન વિધી બાદ શોભાયાત્રા નું આયોજન જે જોડિયા ગામ ના મુખ્ય માર્ગો ફરીને લક્ષ્મીપરા ચોક માં શ્રી રામમંદિર ના દર્શન કરીને બાદનપર ગામે શ્રી કનકેશ્વર મહાદેવ મંદિર પોહચી ને શિવભક્તો દ્વારા મહાદેવ જી ની સંઘ્યા આરતી નો લાભ બાદ
