જોડીયા તા ૮ જોડીયા તાલુકા પોલીસ દ્વારા હર ઘર ત્રિરંગા” કાર્યક્રમ અંતર્ગત વાહન ચાલકો તેમજ નગરજનોને રાષ્ટ્રધ્વજનુ વિતરણ કરી જરૂરી માર્ગદર્શન આપવામા આવેલ.
માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્રેરીત હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત દેશના દરેક શહેર અને ગામે ત્રિરંગો લેહરાય તેવી રાજય સરકારની નેમ છે.જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી જામનગર સા. ના માર્ગદર્શન મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક, સા.ની સુચના મુજબ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક પોલીસ દ્વારા ઘર-ઘર ત્રિરંગો ફરકાવવા માટે લોકોને પ્રેરણા મળે તે સારૂ વાહન ચાલકો તેમજ નગરજનોને રાષ્ટ્રપ્રેમના ગૌરવ વધારતા ૧૦૦ થી વધુ ત્રિરંગાનુ નિઃશુલ્ક વિતરણ કરીને જોડીયા તાલુકાના નાગરીકોને દરેક ઘરે ત્રિરગો લહેરાવવા અપીલ કરી. દેશની આન-બાન-શાન એવો ત્રિરંગો સ્વતંત્રતા પર્વ પર ઘરે-ઘરે લહેરાશે અને ભારતમાતાનુ જય ગાન કરશે.

