
*સંત શિરોમણી શ્રી પૂ.જલારામ બાપા ની ૧૪૪મી પૂણ્યતિથી નિમિતે મોરબી શ્રી જલારામ ધામ ખાતે ધૂનભજન-મહાઆરતી-મહાપ્રસાદ-સુંદરકાંડ ના પાઠ સહીતનાં કાર્યક્રમો યોજાશે.*
આવતીકાલ તા.૨૩-૨-૨૦૨૫ રવિવાર મહા વદ દશમ ના રોજ સંત શિરોમણી શ્રી પૂ.જલારામ બાપા ની ૧૪૪મી પૂણ્યતિથી નિમિતે મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ ખાતે વિવિધ પ્રકાર ના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત સાંજે ૪ કલાકે બાપા સિતારામ ધૂન મંડળ દ્વારા ધૂન-ભજન, સાંજે ૭ કલાકે મહાઆરતી, સાંજે ૭ઃ૩૦ કલાકે મહાપ્રસાદ તેમજ રાત્રે ૯ કલાકે સુંદરકાંડ મંડળ-મોરબી ૨ દ્વારા સુંદર કાંડ ના પાઠ નું આયોજન કરવા માં આવેલ છે. તો દરેક ભક્તજનો ને દરેક કાર્યક્રમ માં પધારવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા શ્રી જલારામ ધામ-મોરબી તરફથી વિનંતી કરવા માં આવી છે.
