
*મોરબી તા ૨૬ હાલ પ્રયાગરાજ ખાતે ચાલતા ૧૪૪ વર્ષે યોજાતા મહાકુંભમાં પ્રચંડ જનમેદની ની ઉમટી પડી છે જેમાં અંદાજે 65 કરોડથી પણ વધુ લોકોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી*
*આજરોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે યોજાતા “અમૃત સ્નાનમાં” મોરબીના વરિષ્ઠ પત્રકાર અને મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ શ્રીસુરેશભાઈ ગોસ્વામી મોરબીની સુખાકારી અને શાંતિ અર્થે પહોંચ્યા હતા અને સાઇ સ્નાનમાં ભાગ લઈ આસ્થાની ડૂબકી લગાવી ને મોરબી શહેર જિલ્લાના ખેડૂતો, ઉદ્યોગકારો, વેપારીઓ, નોકરિયાતવર્ગ, પત્રકાર મિત્રો, સમસ્ત ગોસ્વામી સમાજ, તેમજ શહેર જિલ્લાની આમ જનતા માટે પણ સાહીસ્નાન કરી લોકોની સુખકારીને શાંતિ માટે પ્રાર્થના કરી હતી રામાનંદી ટ્રાવેલ્સ મા સુરેશભાઈ સાથે અન્ય ચાલીસ લોકો જોડાયા હતા*





