
ભગવાન પરશુરામજી શોભાયાત્રાનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન
ડીસા નગરમાં ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રા જલારામ મંદિર ડીસા ખાતે આવી પહોંચતાં જ ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.જલારામભકતો સર્વ કનુભાઈ આચાર્ય,કલ્પેશભાઈ જે.ઠકર, આનંભાઈ પી.ઠકકર,,આર.ડી.ઠકકર, હિતેશભાઈ સોનપાલ, દીલીપભાઇ રતાણી, શારદાબેન આચાર્ય, પૂજાબેન કે.ઠકકર, વર્ષાબેન કારિયા, ભાવનાબેન ઠક્કર, પ્રહલાદભાઈ મહારાજ, કિરણભાઈ માળી સહિત સૌએ શોભાયાત્રાનું કંકુતિલક તેમજ ફૂલહારથી સન્માન સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.શોભાયાત્રામાં જોડાયેલા સમસ્ત બ્રહ્મસમાજ ડીસાના સૌ આગેવાનો અને કાર્યકરોએ પણ સન્માન બદલ રાજીપો વ્યક્ત કરી જલારામ મંદિર ડીસાની સેવાકીય પ્રવૃતિઓથી આનંદ વ્યક્ત કર્યો હતો.

