ટંકારા ખાતે ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સૌના માર્ગદર્શક અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તાજેતરમાં અહેમદ પટેલનું નિધન થયું હોય જેથી કોંગ્રેસ પરિવારે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા જે પ્રાર્થના સભામાં કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઈ ગોધાણી, મહામંત્રી દુષ્યંત ભૂત, અશોકભાઈ સંઘાણી, મહેશ લાધવા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા