મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ આજે પરશુરામધામ ખાતે ભગવાન પરશુરામને શીશ ઝુકાવી દર્શન કર્યા હતા જે પ્રસંગે બ્રહ્મસમાજ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
મોરબી-માળિયા વિધાનસભા પેટા ચૂંટણી સમયે બ્રિજેશભાઈ મેરજાએ પરશુરામધામ ખાતે શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા જીત માટે ભગવાન પરશુરામ પાસે આશીર્વાળા માંગ્યા હોય અને બ્રિજેશભાઈ મેરજા ચુંટણી જંગ જીતી ચુક્યા છે ત્યારે તાજેતરમાં પરશુરામ ધામ ખાતે દર્શન અર્થે પહોંચ્યા હતા જે પ્રસંગે બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઈ પંડ્યા અને ડો. અનિલભાઈ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા