
મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેણાક મકાનમાંથી જુગાર રમતા સાત ઇસમો ને ગણનાપાત્ર રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./ જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.કે.ચારેલ સુચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ પો.સ.ઇ.એસ.એન.સગારકા નાઓ સર્વેલન્સ સ્ટાફના મણસો સાથે પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ. મહેન્દ્રસિંહ ચુડાસમા નાઓને મળેલ બાતમી હક્કીત રેઇડ કરતા મોરબી તાલુકાના જુના નાગડાવસ ગામે રહેણાક મકાનમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા ફૂલ-૦૭ ઇસમોને રોકડ રૂ.૬૯,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એન.સગારકા નાઓ ચલાવી રહેલ છે.
આરોપી :-
1) હિતેષભાઇ ભોગીલાલ મહેતા જાતે બ્રાહ્મણ ઉ.વ.૪૯ ધંધો-ગેરેજ રહે.જુના નાગડાવાસ તા.જી.મોરબી
2) પ્રશાંતભાઇ ઉર્ફે હકાભાઇ પ્રભાતભાઇ ધ્રાંગા જાતે આહિર ઉ.વ.૪૩ ધંધો-વેપાર રહે-વિધુત્તનગર મોરબી-૦૨
3) બિજલભાઇ અણંદાભાઇ સુરેલા જાતે કોળી ઉ.વ.૪૨ ધંધો-ખેતી રહે-સોખડા તા.જી.મોરબી
4) દિલીપભાઇ લાભુભાઈ સુરેલા જાતે કોળી ઉ.વ.પર ધંધો-ખેતી રહે-સોખડા તા.જી.મોરબી
5) જયેશભાઇ ઉર્ફે જયેલો ગગુભાઇ મિયત્રા જાતે આહિર ઉ.વ.૩૬ ધંધો-ખેતી રહે-જુના નાગડાવાસ તા.જી.મોરબી
6) માવજીભાઈ સુખાભાઇ રાઠોડ જાતે આહિર ઉ.વ.૬૦ ધંધો-ખેતી રહે-જુના નાગડાવાસ તા.જી.મોરબી
7) વનરાજભાઇ રામજીભાઇ સરેસા જાતે કોળી ઉ.વ.૪૦ ધંધો-ખેતી રહે-જુના નાગડાવાસ તા.જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૬૯,૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી એસ.કે.ચારેલ તથા સર્વેલન્સ
પો.સ.ઇ.એસ.એન.સગારકા તથા પોલીસ હેડ કોન્સ.એ.પી.જાડેજા તથા મહાવીરસિંહ પરમાર તથા ચંન્દ્રસિંહ પઢીયાર તથા દેવશીભાઇ મોરી તથા પોલીસ કોન્સ.રમેશભાઇ મુંધવા તથા અરવિંદભાઇ મકવાણા તથા કેતનભાઇ અજાણા તથા ભગીરથભાઇ લોખીલ તથા કુલદિપભાઇ કાનગડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા શક્તિસિંહ જાડેજા તથા વિજયભાઇ ડાંગર તથા અજયભાઇ લાવડીયા તથા અર્જુનસિંહ પરમાર તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.
