
સરસ્વતી ભગવતી વિદ્યાલય બરવાળાનું જવલંત પરિણામ
મોરબી:તા ૫ બરવાળા ખાતે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલયનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 100 ટકા આવેલ છે. કુલ 42 વિદ્યાર્થીમાંથી બધા જ 42 વિદ્યાર્થી પાસ થઈ જતા વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. સ્વ. શ્રી જેરાજભાઇ કરમશીભાઈ પટેલ દ્વારા સ્થાપિત છેલ્લા 55 વર્ષથી આ વિસ્તારમાં શિક્ષણ સેવા આપતી આ શાળા એ હમણાં જ સુવર્ણ જયંતિ કાર્યક્રમ સંપન્ન કર્યો. આ શિક્ષણ સેવાયજ્ઞને આગળ વધારતા સંસ્થાના હાલના પ્રમુખ શ્રી જયંતીભાઈ જેરાજભાઇ પટેલ અને અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યોએ દરેક સફળ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
