
રાધનપુરમાં દર ગુરૂવારે શરૂ થશે પૂજ્ય જલારામ બાપાનાં ભજન
જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા દર ગુરૂવારે રાત્રે 8=30 થી 10=30 એમ બે કલાક માટે પૂજ્ય જલારામ બાપાનાં નિયમિત ભજન થાય છે.અત્યાર સુધી 354 ગુરૂવારનાં ભજન થઈ ચૂક્યાં છે.ભજનમાં થતી સંપૂર્ણ આવક ગૌસેવા હેતુ વાપરવામાં આવે છે.
જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ધાનેરા, પાલનપુર, દિયોદર,ભીલડી,પાટણ,ભાભર, હારિજ વિગેરે સ્થળોએ પણ ભજન શરૂ કરાવવામાં આવેલ છે.આગામી દિવસોમાં રાધનપુર ખાતે પણ દર ગુરુવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શરૂ થાય તે માટે રાધનપુરના જલારામ ભકતોનો ભગવાનભાઈ બંધુ દ્રારા સંપર્ક કરાતાં હકારાત્મક પ્રતિસાદ મળેલ છે.રાધનપુરના જલારામ ભક્તો દ્રારા 108 ગુરૂવારનાં ભજન નોંધાય એટલે ભજન શરૂ કરવામાં આવનાર છે.હાલ 11 ગુરૂવારનાં ભજન નોંધાઈ ચૂક્યાં છે.રાધનપુર ખૂબ જ દિવ્ય, ભવ્ય, પ્રાચીન તેમજ આધ્યાત્મિક નગર છે.સમગ્ર સનાતન હિંદુ સમાજને કેન્દ્રમાં રાખીને રાધનપુરમાં તમામ પરિવારોને ઘેર પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય તે માટે સ્થાનિક કાર્યકરો નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી રહેલ છે.
