
બાલંભા: તા ૧૦ (*લલિત નિમાવત દ્વારા*) બાલંભા હોથી પીર ની જગ્યાએ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાશે
બાલંભા ખાતે તારીખ 14 .5.25. બુધવારે સામપર માધાપર રોડ ઉપર આવેલ હોથી પીર દાદા ની જગ્યાએ ગૌસેવા તેમજ ચકલાચણ ના લાભાર્થે 14 .5.25. બુધવારની રાત્રે 9:30 કલાકે હોથી પીર દાદા ની જગ્યાએ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ રાખેલ છે જેમાં સંતવાણી ના આરાધક ગુજરાત સૌરાષ્ટ્રના નામાંકિત ભજન સમ્રાટ શૈલેષ મહારાજ નો ભજન નો પ્રોગ્રામ રાખેલ છે જેમાં શૈલેષ મહારાજ તેમજ તેમનું ગ્રુપ રાત ભર ભજનોની રમઝટ બોલાવશે તો આ સંતવાણી નો લાભ લેવા ભજન પ્રેમી જાહેર જનતાને બાલંભા હોથી પીર ભક્તજનો તરફથી આ ભવ્ય સંતવાણી નો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે સ્થળ હોથી પીર ની જગ્યા સામપર માધાપર રોડ બાલંભા ખાતે રાખવામાં આવેલ છે

